ભાજપ : રસ્તા પર પડદા-પોસ્ટર લગાવનારને ગૃહ પ્રધાન બનાવનાર અમિત શાહે પોતાના મત વિસ્તારથી પ્રચારના શ્રી ગણેશ કર્યા
- 15 Mar, 2024
હજુ ચુંટણીની તારીખોનું એલાન પણ થયું નથી, એવામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન શરૂ કરી દીધા છે. તેમણે પોતાના મત વિસ્તારથી ચુંટણી માટે પ્રચાર શરૂ કયો છે,તેમને ગત લોકસભામાં ફળવવામાં આવેલો વિસ્તાર એટલેકે ગાંધીનગર વિસ્તાર જ આ વર્ષ ની ચુંટણીઓ માટે ફાળવવામાં આવ્યો છે. તેથી તેમણે ગુરુકુળ રોડ પરથી ચુનાવ અભિયાન ની શરૂઆત કરી હતી.
શાહે આજથી પોતાના મત વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસેના હનુમાન મંદિરમાં દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે. ઉપરાંત અમિત શાહે એક સભા પણ સંબોધી, જેમાં તેમણે જણાવ્યુ કે 1500 રાજનીતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા છે.એક બુથના અધ્યક્ષથી તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે.
અમિત શાહે જણાવ્યુ કે ભાજપ જ એક માત્ર એવી પાર્ટી છે કે જેણે ચા વેચનારા એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર કરાવી છે.તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના શાસને દેશને 10 વર્ષમાં સમૃદ્ધ કરવાનું કામ કર્યુ છે.નરેન્દ્રભાઇએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. તેમણે દેશની-માતાઓ બહેનોને 33 ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્થ કર્યો છે.
અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનો સામે ઊભા રહેવાનો એક મંચ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે ભાજપના રાજમાં આતંકવાદ,નક્સલવાદ, ઘૂષણખોરી નાબૂદ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 એક ઝાટકે નાબુદ કરાયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ